ધનતેરસના દિવસે ઘણા દુર્લભ યોગ બની રહ્યા છે. એની સતાહૈ જ એક અશુભ યોગ બની રહ્યો છે. જેના કારણે કેટલીક રાશિના જાતકોએ સાંચવીને રહેવાની જરૂરત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં વિરાજમાન છે. ત્યાં જ કેતુ કન્યા રાશિમાં છે. એવામાં ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જયારે કુંડળીમાં શનિ અને કેતુ આઠમા અને છઠ્ઠા ભાવમાં વિરાજમાન થવાથી આ યોગનું નિર્માણ થાય છે.
ષડાષ્ટક યોગ યોગ બનવાથી વર્ષ 2024માં કેટલીક રાશિઓએ સાવધાન રહેવાની જરૂરત છે. તો ચાલો જાણીએ ષડાષ્ટક યોગ બનવાથી કઈ રાશિઓએ સતર્ક રહેવાની જરૂરત છે.
વૃષભ રાશિ
ષડાષ્ટક યોગની રચના આ રાશિના લોકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી, થોડી સાવચેતી રાખવાની જરૂર છે. શારીરિક સાથે, તમારે માનસિક અને નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. વૃષભ રાશિના લોકોએ તમારી વાણી પર થોડો નિયંત્રણ રાખો, કારણ કે તેનાથી તમારા સંબંધો પર ખરાબ અસર પડી શકે છે.
વૃશ્ચિક રાશિ
શનિ અને કેતુ દ્વારા બનેલ ષડાષ્ટક યોગ પણ વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. તેથી, આ રાશિના લોકોએ વાદ-વિવાદથી દૂર રહેવાની જરૂર છે. તમે બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકો છો. દરેક કામમાં કોઈને કોઈ અવરોધ આવી શકે છે. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારા સાથીદારો તમારા કામને પોતાનું ગણીને ઉચ્ચ અધિકારીઓની નજરમાં સારા બની શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે.
મીન રાશિ
મીન રાશિના લોકોએ વર્ષ 2024માં થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો. નોકરી કરતા લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. કાયદાકીય બાબતોમાં પણ તમારે હારનો સામનો કરવો પડી શકે છે. વાહન ચલાવતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. અકસ્માતની શક્યતાઓ ખૂબ વધી રહી છે. પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)