Homeધાર્મિકદિવાળીમાં દાન કરવાથી શું...

દિવાળીમાં દાન કરવાથી શું લાભ થાય છે? ભગવાન શિવજીએ જણાવ્યું આ રહસ્ય

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ તહેવારને પાંચ દિવસનો તહેવાર પણ કહેવાય છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ આવી રહી છે.

વાર્તા

દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવના મોટા પુત્ર અને દેવતાઓના સેનાપતિ ભગવાન કાર્તિકેયએ તેમના પિતા ભગવાન શિવને પૂછ્યું કે દિવાળી પર શું કરવું જોઈએ.

આ તહેવાર પર ક્યારે દીવા પ્રગટાવવા. ભગવાન શિવે આના પર શું કહ્યું તે જાણીને કાર્તિકેય અભિભૂત થઈ ગયા.

ભગવાન શિવે તેમના પુત્ર કાર્તિકેયને કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન કેશવની સામે ઘી અને તલના તેલનો દીવો પ્રગટાવશે, તેને તમામ તીર્થોની યાત્રા સમાન ફળ મળશે. આ પાંચ દિવસ ખૂબ જ પવિત્ર છે. આસો વદ તેરસ અને કારતક સુદ ત્રીજ વચ્ચે જે પણ દાન કરવામાં આવે છે તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ભગવાન શંકરે કહ્યું કે આ સમય દરમિયાન જે વ્યક્તિ કોઈપણ બ્રાહ્મણ અથવા ગરીબ વ્યક્તિને એક તલના દાણા જેટલું સોનું દાન કરે છે તે વિષ્ણુધામની પ્રાપ્તિ કરે છે. સાથે જ જો કોઈ ચાંદીના બે ટુકડા દાન કરે તો તેને ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે. તે જ સમયે, જે આ સમયગાળા દરમિયાન ગાયનું દાન કરે છે તેને પૃથ્વીના સમગ્ર અન્નનું દાન કરવા જેટલું જ પુણ્ય મળે છે. દિવાળીના 5 દિવસ સુધી ઘરના મંદિર સહિત તમામ મુખ્ય સ્થળોએ ઘીના દીવા પ્રગટાવવા જોઈએ. તેના દ્વારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસ પર ઘરની બહાર યમરાજ માટે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુથી બચી શકાય છે. રૂપ ચૌદસના દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી નરકમાં જવાથી બચે છે. દિવાળીના દિવસે ઘરની મહિલાઓએ બ્રહ્મ મુહૂર્તમાં દેવી લક્ષ્‍મીની પૂજા કરવી જોઈએ. આના કારણે ધનની ખોટ ક્યારેય નથી થતી. ગોવર્ધન પૂજાના દિવસે મંદિરમાં 1.25 કિલો બાજરી અને ચોખાનું દાન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે છે. ભાઈ બીજનાં દિવસે બહેન દ્વારા તેમના ઘરે બનાવેલ ભોજન ખાવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

Most Popular

More from Author

એક છોરો કન્યા જોવા ગ્યો… 😅😝😂😜🤣🤪

એક છોકરો છોકરીને પ્રેમ કરતો હતો. પરંતુ, બંનેમાં લડાઈ થઈ ગઈ...

અડધો કલાક મોડેથી થૂંકીશું, બીજું શું!😅😝😂😜🤣🤪

ડોક્ટર : મોટાપાનો એક જ ઈલાજ છે.છગન : કયો ઈલાજ છે...

પત્ની : કોણ છે? 😅😝😂😜🤣🤪

છોકરી- હું પડોસીથી પ્રેમ કરું છું અનેતેની જોડે ભાગી રહી છું!!પિતા-...

🧞‍♂️યમરાજ : “ચાલ, 👱🏻‍♂️ચંદુ ! હું તને લેવા આવ્યો છું.” 😅😝😂😜🤣🤪

👱🏻‍♂️પપ્પા : ભણશે નહિ તો શું કરશે? 👱🏻દીકરો : બસ ચલાવીશ, પછી...

Read Now

પ્રેગ્નેટ ગૌહર ખાનનું પેટ પકડીને રણવીરે આવું કર્યું, ઈમોશન થઈ ગઈ એક્ટ્રેસ

ગૌહર ખાને રણવીરસિંહ વિશે દિલ ખોલીને વાત કરી સેલ્યુટ છે આ એક્ટ્રેસને જેણે સતત ગર્ભાવસ્થામાં કામ કર્યું રણવીરસિંહ હવે રોહિત શેટ્ટીની ફિલ્મમાં જોવા મળશે ગૌહર ખાને તેની પ્રેગ્નેન્સી દરમિયાન ઘણું કામ કર્યું છે. તે પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા સમય સુધી કામ કરતી હતી. આટલું જ નહીં, ગૌહરે પુત્રના જન્મ પછી તરત...

થ્રીલ, સસ્પેન્સ અને સ્ટોરી ટેલિંગનું કોમ્બિનેશન છે અપૂર્વાઃ તારા

અપૂર્વાના ટ્રેલરમાં જોરદાર લાગે છે તારા ઓટીટી પર રિલીઝ થવાની છે આ ફિલ્મ રાજપાલ યાદવ ફરી નેગેટિવ રોલમાં તારા સુતારિયાની ફિલ્મ 'અપૂર્વા'ના ટ્રેલરને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. નિખિલ નાગેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તારા સુતારિયા ઉપરાંત રાજપાલ યાદવ અને અભિષેક બેનર્જી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં બંને...

ફેન્સને હેપ્પી દિવાળી વિશ કરી ટાઈગર-3ના લીડ સ્ટાર્સે, કહ્યું બુકિંગ કરાવી દો

સલમાન અને કેટરિના કૈફે શેર કર્યો મસ્ત ફોટો કોમેન્ટની સુનામી જોવા મળી આ ફોટો પર જોડીના વખાણ કરી રહ્યા છે ફેન્સ સલમાન ખાન અને કેટરીના કૈફ ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ સુપર-ડુપર હિટ જોડીની ફિલ્મ 'ટાઈગર 3' માત્ર બે દિવસમાં સિનેમાઘરોમાં આવી જશે. ટાઈગર...